Mayur Sir

Standard 10 Gujarati Textbook Solutions Chapter 1 મોરલી

                                                                સ્વાધ્યાય

 

1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો. 


પ્રશ્ન 1. કોના દર્શનથી મીરાંબાઈનાં દુઃખ દૂર થાય છે ?
(a) ગિરિધર
(b) વિષ્ણુ
(c) શિવ
(d) હનુમાનજી
Ans. (a) ગિરિધર

 

પ્રશ્ન 2. મોરલીનો નાદ ક્યાં ગાજે છે ?
(a) ગગન
(b) ધરતી
(c) દિશાઓ
(d) પાતાળ
Ans. (a) ગગન


2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1. વૃંદાવનના માર્ગે વ્હાલો શું માંગે છે ?
Ans. વૃંદાવનને માર્ગે વહાલો દધિના દાણ માગે છે.

પ્રશ્ન 2. આ કાવ્યમાં ‘વ્હાલો’ શબ્દ કોના માટે પ્રયોજાયો છે ?
Ans. આ કાવ્યમાં “વહાલા” શબ્દ શ્રીકૃષ્ણ પરમાત્મા વાસુદેવના અર્થમાં પ્રયોજાયો છે.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. આ કાવ્યને આધારે કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો.
Ans. કૃષ્ણએ પીળું પીતાંબર અને જરકસી જામો પહેર્યાંછે.કૃષ્ણને કાને કુંડળ માથે મુગટ અને મુખ પર મોરલી છે. તેમને માથે પીળો પટકો શોભે છે.- કૃષ્ણનો શણગાર સૌને પ્રિય છે.

પ્રશ્ન 2. કૃષ્ણ ક્યાં અને કેવી રીતે નાચે છે ?
Ans. વૃંદાવનમાં રાસ રચાયો છે. કૃષ્ણ વૃંદાવનની કુંજગલીમાં થનક થનક થઈ નાચે છે. કૃષ્ણ રાસ રચીને સૌને ઘેલા કરે છે.

4. નીચેના પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર લખો:

 

1. ‘મોરલીકાવ્યને આધારે કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરો.

ઉત્તર : ‘મોરલીકાવ્યમાં મીરાંબાઈએ કૃષ્ણની રાસલીલાનું સુંદર વર્ણન કર્યું છે. વૃંદાવનમાં કૃષ્ણ મોરલી વગાડે છે. એની મોરલીના સૂરનો નાદ આખા ગગનને ગજવે છે. કૃષ્ણ સૌને પ્રિય છે. વૃંદાવનમાં રાસ રચાયો છે. કૃષ્ણ પીળું પીતાંબર, જરકસી જામો પહેરી રાસમંડળમાં બિરાજે છે. તેમના કાને કુંડળ, માથે મુગટ અને મુખ પર મોરલી શોભે છે. તેઓ વૃંદાવનની કુંજગલીમાં થનક થનક થઈ નાચે છે, રાસ રમીને સૌને ઘેલા કરે છે.


                                                         Extra Question Answer


નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ

(1) મીરાંબાઈનો જન્મ ક્યાં થયો હતો?

ઉત્તર : મીરાંબાઈનો જન્મ રાજસ્થાનના મેડતા ગામમાં રાજકુટુંબમાં થયો હતો.


(2) મીરાંબાઈનાં કૃષ્ણભક્તિનાં પદો કઈ કઈ ભાષામાં મળે છે?

ઉત્તર : મીરાંબાઈનાં કૃષ્ણભક્તિનાં પદો ગુજરાતી ઉપરાંત વ્રજ,રાજસ્થાની અને હિંદી ભાષામાં મળે છે.


(3) ‘મોરલીકાવ્યના રચયિતાનું નામ લખો.

ઉત્તર : ‘મોરલીકાવ્યનાં રચયિતા, મીરાંબાઈ છે.


(4) ‘મોરલીકાવ્યમાં કૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાયા છે?

ઉત્તર : ‘મોરલીકાવ્યમાં કૃષ્ણ માટે ગિરિધર, પ્રભુ, વહાલો શબ્દો વપરાયા છે.


(5) કૃષ્ણને કાને શું શોભે છે?

ઉત્તર : કૃષ્ણને કાને કુંડળ શોભે છે.

 

(6) ગિરિધરનાં ગુણ, દર્શન થકી શું થાય છે?

ઉત્તર : ગિરિધરનાં ગુણ, દર્શન થકી આપણાં બધાં દુ: દુર થાય છે.


(7) કોનાં દર્શનથી મીરાંબાઈનાં દુઃખ દૂર થાય છે?

ઉત્તર : ગિરિધરનાં દર્શનથી મીરાંબાઈનાં દુ: દૂર થાય છે.


(8) મોરલીનો નાદ ક્યાં ગાજે છે?

ઉત્તર: મોરલીનો નાદ ગગનમાં ગાજે છે.


(9) વૃંદાવનના માર્ગે વહાલો શું માગે છે?

ઉત્તર : વૃંદાવનના માર્ગે વહાલો દાણ માગે છે.


(10) ‘મોરલીકાવ્યમાંવહાલોશબ્દ કોના માટે પ્રયોજાયો છે?

ઉત્તર : ‘મોરલીકાવ્યમાંવહાલોશબ્દ કૃષ્ણ માટે પ્રયોજાયો છે.


નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :

પ્રશ્ન 1. શ્રીકૃષ્ણ દાણ માગવાની પદ્ધતિ વિશે જણાવો.

Ans. શ્રીકૃષ્ણ એ જમાનાના આરોગ્ય પ્રધાન હોય એમ લાગે છે. ગોકુળમાંથી દહીં, દૂધ, ઘી, માખણ જેવા પૌષ્ટિક પદાર્થો ગોપીઓ વૃંદાવનના મારગે થઈને મથુરા વેચવા જતા હોય છે. આના કારણે ગોકુળમાં દહીં, દૂધ, ઘી અને માખણની અછત વર્તાય છે. ઉપરાંત ગોકુળના રહીશોની આ પૌષ્ટિક પદાર્થોની ઊણપથી તંદુરસ્તી સારી રહેતી નથી. આ કારણે શ્રીકૃષ્ણ વૃંદાવનને મારગે દધિનું દાણ ઉધરાવે છે. જેથી માત્ર થોડી જ માત્રામાં દધિ કે ધી કે દૂધ કે માખણ ગોકુળથી મથુરામાં જાય . આમ, શ્રી કૃષ્ણ દાણ ઉધરાવીને આરોગ્યની જાળવણીનું કાર્ય કરે છે; છતાં ગોપીઓને શ્રીકૃષ્ણ પ્રિય તો રહે જ છે !


આપેલ પ્રશ્નોના ઉત્તર સૂચના પ્રમાણે લખો.


નીચેના શબ્દસમૂહ માટે એક-એક શબ્દ લખો.

  1. પીળા રંગનું વસ્ત્ર – પીતાંબર
  2. વૃંદા(તુલસી)થી ભરેલું પાત્ર – વૃંદાવન
  3. કાને પહેરવાનું એક ઘરેણું – કુંડળ
  4. ગિરિ પર્વત)ને ધારણ કરનાર – ગિરિધર
  5. કસબના ભરતવાળું – જરકસી
  6. જ્યાં આજુ બાજુ લતા, ફૂલ, વૃક્ષો વાવેલાં હોય તેવી ગલી – કુંજગલી
  7. રાસમાં કરવામાં આવતી લીલા – રાસલીલા
  8. રાસમાં આવેલું મંડળ – રાસમંડળ,

નીચેના શબ્દોના વિરોધી શબ્દ આપો.

  • ગગન × પાતાળ
  • વને × બાગ.
  • ગુણ × અવગુણ
  • દુ:ખ × સુખ
  • નાચવું × બેસવું

નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો.

  • મોરલી – વાંસળી, બંસરી
  • દધિ – દહીં
  • નોદ – અવાજ
  • ગગન – આભ
  • દાણા – વેર
  • પ્ર – પરમાત્મા
  • ગિરિધર – શ્રીકૃષણ
  • વહાલો – પ્રિય પ્રભુ, શ્રી કૃષ્ણા

નીચેના શબ્દોની સંધિ છોડો.

  • પીતાંબર – પીત + અંબર
  • સત્સંગ – સદ્ + સંગ
  • ઉપરાંત – ઉપર + અંત
  • સ્વાધ્યાય – સ્વ + અધ્યાય
  • વિદ્યાર્થી – વિદ્યા + અર્થી
  • નીલાંબર – નીલ + અંબર

નીચેના શબ્દોની સાચી જોડણી લખો.

  • વૃંદાવન – વૃંદાવન
  • પિતામ્બર – પીતાંબર
  • મોરલિ – મોરલી
  • કુંડળ – કુંડળ
  • બીરાજે – બિરાજે
  • ગીરીધર – ગિરિધર

નીચેના શબ્દોના વિશેષણ આપો.

  1. મૂલ્ય – મૂલ્યવાન
  2. સ્વાદ – સ્વાદિષ્ટ
  3. સમૃદ્ધિ – સમૃદ્ધ
  4. માન – માનનીય
  5. સમર્પણ – સમર્પિત
  6. સાહિત્ય – સાહિત્યિક
  7. ધર્મ – ધાર્મિક
  8. હેત – હેતાળ
  9. રૂ૫ – રૂપાળું
  10. શાસ્ત્ર – શાસ્ત્રીય
  11. પાણી – પાણીદાર
  12. ઇતિહાસ – એતિહાસિક
  13. પૃથ્વી – પાર્થિવ
  14. માસ – માસિક

નીચે આપેલ પાંશોનો ભાવાર્થ સ્પષ્ટ કરો :

વાગે છે રે વાગે છે, ……….. ગાજે છે, વૃંદા.
વૃંદાવનમાં મોરલી વાગે છે અને એનો નાદ ગગનમાં ગાજે છે. વૃંદાવનમાં શ્રીકૃષ્ણ મોરલી એવી રીતે વગાડે છે કે જેનો નાદ સમગ્ર આકાશમંડળમાં સંભળાય છે. આવી મોરલી વૃંદાવનમાં વાગે છે.

વંદા તે વનને ………….. બિરાજે છે.

ગોપીઓ વૃંદાવનને માર્ગે દધિ વેચવા જાય છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ દધિના દાણ માગે છે. બીજું, વૃંદાવનના વનમાં વહાલા શ્રીકૃષ્ણ ભગવાને રાસ રચ્યો છે, તો એમાં ભગવાન શ્રીકૃષ્ણ રાસમંડળમાં બિરાજે છે.

પીળાં પીતાંબર …………………… મોરલી બિરાજે છે.

શ્રીકૃષ્ણ પરમાત્માએ પીળું પીતાંબર ધારણ કરેલ છે. જરકસી જામા પહેરેલ છે. પીળા રંગનો પટકો પણ ધારણ કરેલ છે. કાનમાં કુંડળ શોભે છે. માથા ઉપર મુગટ શોભાયમાન થાય છે અને મુખ ઉપર મોરલી બિરાજે છે.

વૃંદા તે વનની …………………… દુ:ખ માંગે છે.

વૃંદાવનની કુંજગલીમાં વહાલા શ્રીકૃષ્ણ પ્રભુ થનક થનક થૈ થૈ કરીને નાચે છે. ભક્ત કવયિત્રી મીરાંબાઈના પ્રભુ ગિરિધરના ગુણ ગાય છે, અને કહે છે કે પ્રભુ શ્રીકૃષ્ણના દર્શન થતાં જ સમગ્ર દુ:ખ ભાંગી જાય છે, ભાગી જાય છે.

મોરલી શબ્દાર્થ :

  1. દાણ – જકાત, કર, વેરો
  2. દધિ – દહીં, મહી, ગોરસ
  3. જરકસી – કસબી, કસબના ભરતવાળું
  4. નાદ – અવાજ , ઘોષ
  5. પટકો – લૂગડાનો ટૂંકો કટકો, માથે અથવા કમરે બાંધવાનો લૂગડાનો કટકો
  6. ભાંગે – દૂર થવું
  7. ગગન – આકાશ, આભ
  8. વન – જંગલ, અરણ્ય.
  9. તળપદા શબ્દો થે – થઈ
  10. મારગ – માર્ગ
  11. કે – કહે
  12. થકી – થી, વડે
Open chat