હાથ મેળવીએ
Textbook Solution
Poem 9
હાથ મેળવીએ (કાવ્ય)
–નિરંજન નરહરિ ભગત
(જન્મ : 19-05-1926; મૃત્યુ: 01-02-2018)
સ્વાધ્યાય
Que. 1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
(a) અજાણી વ્યક્તિનો (b) મિત્રનો (c) પત્નીનો (d) પાડોશીનો
Ans. (a) અજાણી વ્યક્તિનો
(a) પરસ્પરના વેરભાવ (b) પરસ્પરના હૃદયનો ભાવ
(c) પરસ્પરની ટીકાનો ભાવ (d) પરસ્પરનો દ્વેષભાવ
Ans. (b) પરસ્પરના હૃદયનો ભાવ
Que. 2. નીચેના પ્રશ્નોના એક–એક વાક્યમાં ઉત્તર લખો :
Ans. કવિ આ ખાલી હાથમાં પણ ઉષ્મા અને થડકો હોવાનું અનુભવે છે.
Ans. ‘હાથ મેળવીએ’ કાવ્યના કવિ અજાણ્યા માણસને કહે છે, ‘ચાલો ફરવા જઈએ’
Que. 3. નીચેના પ્રશ્નોના બે–ત્રણ વાક્યમાં ઉત્તર લખો.
Ans. આપણા હાથમાં કેટલુંય છે. ધન, સત્તા, કીર્તિ બધું જ છે. ઉષ્મા અને થડકો છે. આપણા હાથ ભલે ખાલી દેખાય, પરંતુ એમાં ઘણુંબધું છે.
Ans. માનવીના હાથે અનેક કામો થાય છે, હાથથી સારાં અને નઠારાં કામો થાય છે, હાથની આવડતથી સારું અને ઉમદા કામ થાય છે; તો બિનઆવડતવાળા હાથથી ખરાબ અને ખોટું કામ પણ થાય છે. હાથથી મૈત્રી થાય છે. હાથથી દુશ્મની પણ થાય છે, હાથથી તાલી પણ પડે છે અને હાથથી તમાચો પણ પડે છે.
Que. 4. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.
Ans. નરી આંખે જોતાં સૌને બંને હાથ ખાલી જ દેખાય! શું આ બેય ખાલી હાથમાં કશું નથી? આપણાં રોજિંદાં અનેક કામ આ બે હાથ વડે જ થાય છે. આ બે હાથ વડે જ અનેક ભલાઈનાં કામ થાય છે તેમજ બુરાઈનાં કામ થાય છે. આ હાથમાં જ કેટલુંય ધન, સત્તા, કીર્તિ છે. આ હાથ વડે મનુષ્ય સદ્કર્મ કરે તો તેને ધન, સત્તા, કીર્તિ પ્રાપ્ત થાય છે. આ હાથ નઠારાં કામ કરીને ધન, સત્તા, કીર્તિ ગુમાવે પણ છે. આ હાથ આપણી દોલત છે, કિસ્મત છે એમ કહીએ તો ખોટું નહિ.
Ans. કવિએ હાથને હૃદયભાવનાનું પ્રતીક બનાવીને વર્ણવ્યો છે. કવિને પરિચિત-અપરિચિત સૌનો મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. આ હાથમાં કેટલુંય ધન, સત્તા, કીર્તિ હોય, પરંતુ કવિને તેની સાથે કોઈ લેવાદેવા નથી. કવિને તો બીજાના હૃદય સુધી પહોંચવું છે. દરેક સાથે મૈત્રી કેળવવી છે. કવિ સૌને નિઃસ્વાર્થભાવે મળવા માગે છે. તેથી ધન, સત્તા, કીર્તિનું કામ નથી એમ કવિ કહે છે.
Extra Questions
નીચે આપેલ પ્રશ્નોના જવાબ સૂચના મુજબ આપો :
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :
Ans. ‘હાથ મેળવીએ’ કાવ્યના કવિ નિરંજન ભગત છે.
Ans. ‘હાથ મેળવીએ’ એ ઊર્મિકાવ્ય છે.
Ans. નિરંજન ભગતને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ તથા સાહિત્ય અકાદમીના અવૉર્ડ પ્રાપ્ત થયેલા છે.
Ans. ‘હાથ મેળવીએ’ કાવ્ય કવિના ‘છંદોલય’ કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે.
Ans. ‘હાથ મેળવીએ’ કાવ્યનો ભાવાર્થ : ‘પરસ્પર મૈત્રીભાવ
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :
મેળવવું – જોડવું,
કીર્તિ – ખ્યાતિ,
હાથ – હસ્ત,
સત્તા – અધિકાર
થડકો – થડકાર
નઠારું – ખરાબ
ઉષ્માં – ગરમાવો,
ભાવ – પ્રેમ, લાગણી
ધન – સંપત્તિ
અજાણ્યા – જાણીતા નહિ
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો :
કીર્તિ × અપકીર્તિ
મિત્ર × દુશ્મન
ખાલી x ભરેલો
જાણીતા × અજાણ્યા
પસંદ × નાપસંદ
સારું × નઠારું,
ટીકા × વખાણ
આવડત × બિનઆવડત
ઉષ્મા × ઠંડક